Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ ફરી વળતાં આધેડનું કરૂણ મૃત્યુ

ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ ફરી વળતાં આધેડનું કરૂણ મૃત્યુ

- Advertisement -

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રહેતા ઈશ્વરભાઈ ભંગદભાઈ રાઠોડ નાના 53 વર્ષના હળપતિ આધેડ શનિવાર તારીખ 13 ના રોજ બપોરના સમયે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે એક વાડીમાં સુતા હતા. ત્યારે અહીં જી.જે. 10 બીઆર 8975 નંબરના એક ટ્રેકટરના ચાલક મારખીભાઈ રામશીભાઈ કરમુરે પોતાનું ટ્રેક્ટર આજુબાજુમાં જોયા વગર ગફલત કરી રીતે ચલાવતા આ ટ્રેક્ટરની ટ્રોલીના વ્હીલ ઈશ્ર્વરભાઈ રાઠોડના માથા પરથી ફરી જતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ બનાવ અંગે મૃતકના પુત્ર છગનભાઈ ઈશ્વરભાઈ રાઠોડની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીના ચાલક મારખીભાઈ કરમુર સામે આઈપીસી કલમ 279, 304(એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular