જામનગર શહેરના દિ.પ્લોટ 55 માં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર શેરબજારના સોદાઓ કરાતા હોવાની જાણના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન ત્રણ શખ્સોને રૂા.33,200 ની રોકડ રકમ 16 મોબાઇલ ફોન સહિત રૂા.1.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ 9 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિ.પ્લોટ 55 માં આવેલા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર શેરબજારનો ડબ્બો ચાલતો હોવાની યશપાલસિંહ જાડેજા, હરદીપ ધાંધલને મળેલી બાતમીના આધારે પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ સોલંકી, ખીમભાઈ ભોચિયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઇ માલકિયા, એ.બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં.
દરમિયાન પૂછપરછ હાથ ધરતા નરેન્દ્ર વ્રજલાલ સુમરિયા, બ્રિજેશ કિશોર પેથડ, નીતિન શાંતિલાલ નાગડા નામના ત્રણ શખ્સો પાસેથી કોમ્પ્યુટર સેટ 3, એક ટીવી સેટઅપ બોકસ, 16 નંગ મોબાઇલ અને રૂા.33200 ની રોકડ રકમ સહિત કુલ રૂા.1,15,370 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ત્રણેય શખ્સોની પૂછપરછમાં અભિષેક નાગપુર, બિપીનભાઈ રાજકોટ, ભાવેશભાઈ જામનગર, સુધીરભાઈ જામનગર, જિનલ મહાજન મુંબઇ માટુંગા નામના ગ્રાહકોના નામો ખુલ્યા હતાં અને કાનાભાઈ લુહાણા રાજકોટ નામના શખ્સ પાસે કપાત કરાવતા હોવાનું ખુલ્યું હતું. જેથી એલસીબીએ નવ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.