Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરબાવળની ડાળ કાપવા મામલે વૃધ્ધને પતાવી દેવાની ધમકી

બાવળની ડાળ કાપવા મામલે વૃધ્ધને પતાવી દેવાની ધમકી

- Advertisement -

ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા બેચરભાઈ જેતાભાઈ સાદીયા નામના 85 વર્ષના વૃદ્ધને આ જ વિસ્તારમાં રહેતા ભગવાનજીભાઈ મંગાભાઈ સોલંકી દ્વારા બિભત્સ ગાળો કાઢી, લોખંડના સળિયા વડે માર મારી ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આરોપી ભગવાનજીભાઈ દ્વારા બાવળની ડાળીઓ કાપવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાઈને માર મારી, ધમકી આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular