Saturday, January 10, 2026
Homeરાજ્યપતિના મૃત્યુ બાદ વ્યથિત મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

પતિના મૃત્યુ બાદ વ્યથિત મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

કલ્યાણપુર તાલુકાના આશિયાવદર ગામે રહેતા ગજરાબા પબજીભા જેઠવા નામના 56 વર્ષના મહિલાના પતિ નવુભાનું એકાદ વર્ષ પૂર્વે હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયા બાદ માનસિક રીતે અસ્વસ્થ રહેતા ગજરાબાએ પોતાના ઘરે પાકમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતા તેમને ખંભાળિયાની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર રણજીતસિંહ નવુભા જેઠવાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular