Wednesday, January 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં માંડવી ટાવર નજીક મકાનમાં આગ લાગતા વૃધ્ધ દાઝ્યા

જામનગરમાં માંડવી ટાવર નજીક મકાનમાં આગ લાગતા વૃધ્ધ દાઝ્યા

ફાયર વિભાગ દ્વારા વૃધ્ધને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા

જામનગર શહેરમાં માંડવી ટાવર પાસે મકાનમાં આગ લાગતા વૃદ્ધ દાઝી જતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના માંડવી ટાવર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં વહેલીસવારના સમયે અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી આ મકાનમાં વૃદ્ધ સુતા હોય તે પણ આગની ઝપેટમાં આવી જતાં દાઝી ગયા હતાં. ફાયર વિભાગની ટીમ દ્વારા તેમને બહાર તાાત્કાલિક સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ આગને પરિણામે વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular