જામનગરના જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટેલા ફરારી આરોપીની પેરોલ ફર્લો સ્કવોર્ડે ગુલાબનગર વિસ્તારમાંથી ઝડપી લઇ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર પહેલાં ઢાળિયા પાસે રહેતો બાબુ બોઘા રાઠોડ નામનો શખ્સ જિલ્લા જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો અને તે દરમિયાન વચાગાળાના જામીન પર મુકત થયા બાદથી નાસતો-ફરતો હતો. આ નાસતા-ફરતા આરોપી અંગેની પેરોલ ફર્લો સ્કવોર્ડના લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ. ગરચર તથા એએસઆઇ ગોવિંદભાઈ ભરવાડ, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, રણજીતસિંહ પરમાર, મેહુલભાઈ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર તથા પો.કો. મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે ગુલાબનગરમાંથી બાબુ બોઘાને દબોચી લઇ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી.


