Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરનજીવી બાબતે હુમલાનું લાગી આવતા મોટી બાણુંગારના યુવાનની આત્મહત્યા

નજીવી બાબતે હુમલાનું લાગી આવતા મોટી બાણુંગારના યુવાનની આત્મહત્યા

બે દિવસ પહેલાં યુવતી સાથે વાહન અથડાવવાની બાબત : બે શખ્સોએ માર મારતા યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઇ

- Advertisement -

જામનગર જિલ્લાના મોટી બાણુંગાર ગામમાં મિત્રો સાથે જતાં યુવાનનું વાહન યુવતીના વાહન સાથે અથડાવવાનું મનદુ:ખ રાખી યુવાન ઉપર હુમલો કરી માર માર્યો હતો. આ બાબતનું મનમાં લાગી આવતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ યુવાનના મૃતદેહને સ્વીકારવામાં આવ્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી બાણુંગાર ગામમાં રહેતો સાવન નરેશભાઈ પારીયા (ઉ.વ.22) નામનો યુવાન બે દિવસ પૂર્વે તેના મિત્રો સાથે ગામમાંથી પસાર થતો હતો તે દરમિયાન યુવતીના વાહન સાથે વાહન અથડાતા આ અંગેનું મનદુ:ખ રાખી સાવન નામના યુવાન ઉપર હુમલો કરાયો હતો. હુમલો કરાતા મનમાં લાગી આવતા સાવને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરાતા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવમાં મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી અને મૃતક ઉપર જે લોકોએ હુમલો કર્યો છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરે પછી જ મૃતદેહ સ્વીકારવાની હા પાડી હતી

દરમિયાન આત્મહત્યાના આ બનાવમાં પોલીસે હુમલો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી અને એક શખ્સની અટકાયત કરી હતી. જેથી મૃતકના પરિવારજનોએ મૃતદેહનો કબ્જો સંભાળતા મામલો થાળે પડયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular