Friday, January 16, 2026
Homeરાજ્યરાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ

અમદાવાદ ડિવિઝનના મહેસાણા-અમદાવાદ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

- Advertisement -

જેમાં તારીખ 26 અને 27 મે ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ, તારીખ 28 મે ની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ અને તારીખ 26 મે ની ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણાને બદલે ડાઈવર્ટ કરાયેલા રૂટ વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને ચાલશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશન પર ઉભી રહેશે નહીં. ઉલ્લેખનિય છે કે ઉપર દર્શાવેલ તમામ તારીખો ટ્રેનોના પ્રારંભિત સ્ટેશન પરથી ઉપડવાની છે. ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લે જેથી કરીને તેઓને કોઈ અસુવિધા ન થાય તેમ રેલવેની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular