Saturday, March 15, 2025
Homeરાજ્યજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ધાણા સહિતની જણસીની મબલખ આવક

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ધાણા સહિતની જણસીની મબલખ આવક

- Advertisement -

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ધાણા, કપાસ, મગફળી, જીરૂ, ચણા, એરંડા, તુવેર સહિતની જણસીની મબલખ આવક થઇ હતી. ચાર કલાકમાં 28000 ગુણી ધાણાની આવક તથા માર્કેટિંગ યાર્ડ જણસીથી ભરચક્ક થયું હતું. ધાણાના રૂા. 2000, ધાણીના રૂા. 2800 તેમજ કપાસના રૂા. 2200 જેટલા ભાવો મળતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ હતી. ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યાં હતાં. જણસી વેચવા આવતાં ખેડૂતોને કોઇ અગવડતા ન પડે તે માટે રાજ્યના પૂર્વમંત્રી તેમજ માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર ચિમનભાઇ શાપરીયા તથા યાર્ડના ડિરેકટર કિશોરસિંહ જાડેજા દ્વારા સુચારૂં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular