Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના રામેશ્વરનગરમાં આખલાઓના યુધ્ધથી રહેવાસીઓ ત્રસ્ત

જામનગરના રામેશ્વરનગરમાં આખલાઓના યુધ્ધથી રહેવાસીઓ ત્રસ્ત

જામનગર શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા વર્ષોથી શહેરીજનોને સતાવી રહી છે. શહેરના એક પણ માર્ગ કે વિસ્તાર એવો નહીં હોય કે જયાં રખડતાં ઢોર જોવા ન મળે.

- Advertisement -

રખડતાં ઢોરને કારણે અનેક વખત અકસ્માતોના બનાવો પણ બનતાં હોય છે.શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં પણ રખડતાં ઢોરથી આ વિસ્તારમાં રહેવાસીઓ ત્રસ્ત થયા છે. આજે પણ આ વિસ્તારમાં આખલાનો ત્રાસ જોવા મળ્યો હતો. વિસ્તારમાં અંદાજીત 15 મીનીટ સુધી બે આખલાઓનું યુધ્ધ જામ્યુ હતું. આ આંખલાઓના યુધ્ધને કારણે મંદિર પાસે રહેલાં વાહનોને પણ ઉલાળીયા હતાં. આ વિસ્તારમાં મંદિર પણ આવેલું હોય અવાર-નવાર આખલાઓના ત્રાસને કારણે લોકોને મંદિરે દર્શન માટે જવામાં પણ મુશ્કેલી પડતી હોય છે.

- Advertisement -

Residents in Rameshwar Nagar, Jamnagar are distressed by the bullfight

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular