Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયાના સલાયાનું માલવાહક વહાણ દરિયામાં ગારદ: તમામ છ ખલાસીઓનો બચાવ

ખંભાળિયાના સલાયાનું માલવાહક વહાણ દરિયામાં ગારદ: તમામ છ ખલાસીઓનો બચાવ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક વહાણવટીનું 282 ટનની કેપેસોટીનું વહાણ શુક્રવારે સવારના સમયે સલાયાથી પોરબંદર તરફ જતા કોઈ કારણસર દરિયામાં ડૂબી ગયું હતું. જો કે તેમાં જઈ રહેલા તમામ છ ખલાસીઓ તરાપાની મદદથી જીવ બચાવવામાં સફળ થયા હતા.

- Advertisement -

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામના રહીશ ગની સુલેમાન સંઘાર નામના એક વાણવટીની માલિકીનું ગોષે જીલાની નામનું અને બી.ડી.આઈ. – 234 નંબરનું રજીસ્ટ્રેશન ધરાવતું 282 ટનની ક્ષમતા ધરાવતું અને આશરે રૂ. 40 લાખ જેટલી કિંમત ધરાવતું ખાલી વહાણ સલાયાથી ગુરુવારે રાત્રે દસેક વાગ્યે માલ સામાન ભર્યા વગર પોરબંદર જતું હતું. આ વહાણમાં પોરબંદરથી 50 ટન માલ સામાન ભરીને દુબઈ તરફ જવાનું હતું.

વહાણના માલિકના બે પુત્રો, ભત્રીજાઓ સહિતના પરિવારજનો એવા છ ખલાસીઓને સાથે લઈને નીકળેલું આ વહાણ પોરબંદર પહોંચે તે પહેલાં ગઈકાલે શુક્રવારે સવારના દસેક વાગ્યે મધદરિયે ફૂંકાયેલા વંટોળિયાનો ભોગ બન્યું હતું. આશરે 50 કી.મી.ની ઝડપે ફૂંકાયેલા તેજ પવન સામે આ વહાણ ટકી શક્યું ન હતું અને પોરબંદર પહોંચે તે પહેલા અરબી સમુદ્રમાં લાઈટ હાઉસથી થોડે દૂર ડૂબવા લાગ્યું હતું. વહાણમાં પાણી ભરાવા લાગતા તેમાં સવાર તમામ છ મુસાફરો આ વહાણમાં સાથે રાખવામાં આવેલી નાની (સેફ્ટી) બોટ સાથે દરિયામાં ઉતરી ગયા હતા. થોડી વાર બાદ દરિયામાં રહેલા આ ખલાસીઓને જોઈ અને આ વિસ્તારમાં માછીમારી કરી રહેલી “નારા એ તકદીર” નામની ફિશીંગ બોટના માછીમારોએ આ ડૂબી ગયેલી આ બોટના ખલાસીઓને પોતાની બોટમાં બચાવી, સલામત રીતે કિનારે પહોંચાડ્યા હતા. આ માલવાહક વહાણની થયેલી જળસમાધી વચ્ચે તેમાં સવાર તમામ ખલાસીઓ સલામત રીતે પહોંચતા તેમના પરીવારજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular