Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરચાંદીપુરા વાયરસની સારવારમાં મૃત્યુ પામેલ ખંભાળિયાના દર્દીનો રિપોર્ટ પોઝિટીવ

ચાંદીપુરા વાયરસની સારવારમાં મૃત્યુ પામેલ ખંભાળિયાના દર્દીનો રિપોર્ટ પોઝિટીવ

જીજી હોસ્પિટલ તેમજ રાજકોટની હોસ્પિટલમાં દાખલ અન્ય ચાર બાળ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ ખંભાળિયાના બાળ દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જો કે, બાળકનું મૃત્યુ થયું હોય તંત્ર દ્વારા તેના પરિવારજનો માટે આરોગ્ય વિષયક પગલાં લેવાયા હતા. તેમજ જી.જી. હોસ્પિટલ તથા રાજકોટની હોસ્પિટલમાં દાખલ અન્ય 4 બાળ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

- Advertisement -

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બનેલા ખંભાળિયાના એક બાળ દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો, અને ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

જેના નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં તે બાળકનો પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. જોકે બાળકનું મૃત્યુ થયું હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા તેના પરિવારજનો તેમજ આસપાસના વિસ્તારમાં આરોગ્ય વિષયક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

- Advertisement -

આ ઉપરાંત જામનગરની સરકારી જી જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદીપુરા વાયરસથી સંક્રમિત ત્રણ બાળકો તેમજ જામનગર જિલ્લાના જ વતની એવા એક બાળકને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જે ચારેય બાળ દર્દીઓના પણ નમૂના લઈને પૃથ્થકરણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, અને તે ચારેય બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્યતંત્ર એ રાહતનોશ્વાસ લીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular