Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં શનિ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો

જામનગરમાં શનિ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો

આજે વૈશાખ મહિનાની અમાસે શનિ જયંતિનો અવસર છે. આજના દિવસને શનિ અમાવસ્યા પણ કહેવાય છે. આજરોજ જામનગર ખાતે પણ શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં ઇચ્છેશ્ર્વર મહાદેવ મંદિર દ્વારા શનિ જયંતિ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે શનિદેવની પૂજા તેમજ તેલ અભિષેક કરાયો હતો. ત્યારબાદ બપોરે હવનનું બીડુ હોમાયા બાદ આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular