વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ જામનગર જિલ્લાના જામનગર શહેરના ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલીત બી.બી.એ./ એમ.બી.એ. કોલેજ (હરીયા કોલેજ), ઈન્દીરા માર્ગ, ઉદ્યોગનગરની પાસે, જામનગર ખાતે 200 મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.08/12/2022ના સવારના 05:00 થી ર4:00 કલાક સુધી ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવું નહી અને એકઠા ન થવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેની જામનગરની તમામ જાહેર જનતાએ નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણવાયું છે.
મત ગણતરી સ્થળના 200 મીટરના ત્રિજયાના વિસ્તારમાં ચારથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ
આગામી તા.8 ડિસેમ્બરના રોજ સવારે 5 થી 24 કલાક સુધી પ્રતિબંધ લાગુ રહેશે


