Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકન્સ્ટ્રકશનના ધંધાર્થીને ચેક રિટર્નના કેસમાં અદાલત દ્વારા દંડ સજાનો હુકમ

કન્સ્ટ્રકશનના ધંધાર્થીને ચેક રિટર્નના કેસમાં અદાલત દ્વારા દંડ સજાનો હુકમ

આ કેસની હકીકત એવી છે કે, જામનગરમાં આશાપુરા ટેકટર ગેરેજના નામથી ટેકટર લે-વેચનો ધંધો કરતા કિશોરભાઈ ચંદુભાઈ લખીયર પાસેથી કન્સ્ટ્રકશનના ધંધાથી દિપકભાઈ કરશનભાઈ ઓડેદરા એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ કંપનીનું ટેકટર તથા ટ્રેઈલર કુલ રૂા.5,60,000માં ખરીદ કરેલ. જે રકમની પરત ચુકવણી માટે દિપકભાઈ કરશનભાઈ ઓડેદરા દ્વારા સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક, આમરા શાખા, જામનગરનો ચેક આપેલો. જે ચેક કિશોરભાઈ ચંદુભાઈ લખીયર દ્વારા પોતાનો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા, ઇનફ્રન્ટી લાઈન શાખા, જામનગરના બેંક ખાતામાં કલીયરીંગ માટે રજૂ કરતા નાણાંના અભાવે ચેક પરત ફરેલ જેથી કિશોરભાઈ દ્વારા વકીલ મારફત દિપકભાઈ કરશનભાઈ ઓડેદરાને નોટિસ મોકલેલ તેમ છતાં ચેક મુજબની રકમ વસૂલ નહીં આપતા કિશોરભાઈ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કરેલ. જે કેસ જામનગરના મે.સાતમા એડી.ચીફ. જયુડી. મેજીસ્ટે્રટ સી.કે. પીપલિયાની અદાલતમાં ચાલી ફરિયાદીના વકીલની વિસ્તૃત દલીલ ધ્યાને લઇ આરોપી દિપક કરશનભાઈ ઓડેદરાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.5,60,000 નો દંડ ફરિયાદીને વળતર પેટે ચૂકવવો જો દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
આ કેસમાં ફરિયાદી તરફે વકીલ નાથાલાલ પી. ઘાડિયા, પરેશ એસ. સભાયા, હિરેન જે. સોનગરા, રાકેશ જે. સભાયા, ગજેન્દ્રસિંહ જે. ઝાલા તથા નેમિષ જે. ઉમરેટીયા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular