Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

- Advertisement -

જામનગર રામેશ્વરનગરમાં રહેતા કન્સ્ટ્રકશનના ધંધાર્થી કિશોરસિંહ દિલુભા ગોહિલ પાસેથી જામનગરના સુનિલ મનસુખલાલ પંડયાએ સંબંધ દાવે પોતાના વેપાર ધંધા માટે રૂા.2,50,000 હાથ ઉછીના લીધા હતાં. જે રકમની ચૂકવણી માટે સુનિલભાઈ આઈસીઆઈસીઆઈ બેંકનો અઢી લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે ચેક કિશોરસિંહ એ પોતાના દેના બેંક જામનગરના ખાતામાં કલીયરીંગ માટે રજૂ કરતા નાણાના અભાવે ચેક પરત ફર્યો હતો. જેથી કિશોરસિંહ દ્વારા પોતાના વકીલ મારફત નોટિસ આપી હતી તેમ છતાં ચેક મુજબની રકમ વસૂલી નહીં આપતા કિશોરસિંહ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિએબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 તળે ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ જામનગર એડી. ચીફ જ્યુડીશીયલ મેજી. પી.કે. ખાનચંદાણીની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી સુનિલ મનસુખલાલ પંડયાને એક વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીને રૂા. અઢી લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. ફરિયાદી તરફે વકીલ અશરફ જુણેજા તથા સમીર બ્લોચ રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular