Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વધુ એક યુવાનને ઘાતક હૃદયરોગનો હુમલો

જામનગર શહેરમાં વધુ એક યુવાનને ઘાતક હૃદયરોગનો હુમલો

પાંચ-છ દિવસથી છાતીમાં દુ:ખાવો થતો : સારવાર કરાવી છતા સુધારો ન થયો : સારવાર કારગત ન નિવડી

- Advertisement -

દેશભરમાં કોરોના કાળ પછી હૃદયરોગના હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ગુજરાત રાજ્યમાં અને જામનગરમાં પણ આવી ઘટનાઓ સતત વધતી જાય છે. દરમિયાન જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં અને ડ્રાઈવિંગ કરતા યુવાનને હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

જામનગર સહિત સમગ્ર દેશભરમાં કોરોનાકાળ પછી બાળકોથી લઇને યુવાનોને હૃદયરોગના હુમલામાં ભોગ લેવાતા જાય છે. યુવાઅવસ્થામાં જ ઘાતક હાર્ટએટેકના કારણે અનેક લોકોના મોત નિપજવાની ઘટનાઓ દિવસને દિવસે સામાન્ય બનતી જાય છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યના યુવાનોના મોત નિપજ્વાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે. દરમિયાન જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરુનગર શેરી નં.9 એ માં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા તુલસીભાઈ રમેશભાઇ ચૌહાણ (ઉ.વ.30) નામના યુવાનને છેલ્લાં પાંચ-છ દિવસથી છાતીમાં દુ:ખાવો થતો હતો અને હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી અને ત્યારબાદ ગત તા. 15 ના રોજ રાત્રિના સમયે ફરીથી છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકની પત્ની પ્રિયાબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular