Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કર્મચારીનગર ખાતે આયોજિત ભાગવત સપ્તાહનો લાભ લેતા નગરજનો

જામનગરમાં કર્મચારીનગર ખાતે આયોજિત ભાગવત સપ્તાહનો લાભ લેતા નગરજનો

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નિગમ નિર્માણ કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિ., મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. જામનગર તથા પંચાયતનગર એજ્યુ. એન્ડ સોશ્યલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના નેજા હેઠળ તા. 2 થી 9 એપ્રિલ દરમિયાન વિશ્ર્વ કલ્યાણ અર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી ગુરૂસ્વામી સ.ગુ.કો. ગોવિંદપ્રસાદદાસજી કથાનું રસપાન કરાવી રહ્યા છે.

- Advertisement -

આજરોજ આ કથામાં શ્રીકૃષ્ણ બલરામ બાળ ચરિત્ર તેમજ માખણલીલા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આ ભાગવત સપ્તાહમાં જામનગરની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક આયોજનોનો લાભ લઇ રહી છે. આજરોજ જામનગર શહેર ભાજપાના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઉદાણી ઉપરાંત રમેશભાઈ કંસારા સહિતના અગ્રણીઓ આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ત્રણેય સંસ્થાના ચેરમેન/પ્રમુખ/મેનેજિંગ ડાયરેકટર દેવેન્દ્રસિંહ પરમાર સહિતના હોદ્ેદારો તથા કાર્યકરો ભાગવત સપ્તાહના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular