Saturday, December 6, 2025
Homeરાજ્યકૃષિમંત્રીનું જાંબુડામાં સન્માન

કૃષિમંત્રીનું જાંબુડામાં સન્માન

રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલની જનઆશિર્વાદ યાત્રા તા.3ના રોજ જાંબુડા ગામ ખાતે પહોંચી હતી. આ તકે ગામના સરપંચ દ્વારા રાઘવજીભાઈ પટેલને સાફો પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના ભાજપના અદયક્ષ રમેશભાઈ મુગરા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને જિલ્લા કારોબારીના આમંત્રિત એવા સૂર્યકાન્તભાઈ મઢવી (દાદા) જિલ્લા પંચાયતના ચેરમેનો, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ, મેઘજીભાઈ ચાવડા તેમજ તમામ હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular