Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના નાની સિંચાઈના કામોને સૈધ્ધાંતિક મંજૂરી અપાવતા કૃષિમંત્રી

જામનગર જિલ્લાના નાની સિંચાઈના કામોને સૈધ્ધાંતિક મંજૂરી અપાવતા કૃષિમંત્રી

જામનગર જિલ્લાના નાની સિંચાઈના ધ્રોલ, જોડિયા તથા જામનગરના 27 કામોને અંદાજિત રૂા.170.899 લાખની સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ

- Advertisement -

નર્મદા, જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ જામનગર જિલ્લાના નાની સિંચાઈના કામોને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના સક્રિય પ્રયાસોને કારણે રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી અપાઈ છે. જેમાં જામનગર જિલ્લાના નાની સિંચાઈના ધ્રોલ, જોડિયા તથા જામનગરના કુલ 27 કામોને અંદાજિત રૂ.170.899 લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

- Advertisement -

આ અંગે મંત્રીએ જણાવ્યું છે કે મારા મતવિસ્તાર જામનગર(ગ્રામ્ય)ના નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ વર્ક પ્લાન 2021-22 અંતર્ગત જામનગર જિલ્લાના નાની સિંચાઈના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. વર્કપ્લાન 2021-22 અંતર્ગત જામનગર જિલ્લાના નાની સિંચાઈના 27 કામોને અંદાજિત કિંમત રૂ.159.29 લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવા કરેલ દરખાસ્ત બાબતે લગત કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત સિંચાઈ વિભાગ, જામનગર સાથે વિગતવાર ચર્ચા વિચારણાના અંતે લગત કાર્યપાલક ઈજનેરએ તા.28/02/2022ના રોજ સુધારેલ અંદાજપત્ર રૂા.170.899 લાખના સાદર કરતા પ્રસ્તુત 27 કામોને અંદાજિત કિંમત રૂ.170.899 લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

જેમાં ડીમાન્ડ નં.66, 4702 સી.ઓ.ઓન એમ. આઈ. (પ્લાન) 101 સરફેસ વોટર 02 એમ.આઈ.00, 5300-મેજર વર્કસ, 199-1(એ-1) સુજલામ સુફલામ યોજના રીસ્ટોરેશન એન્ડ સ્ટ્રેન્ધનીંગ ઓફ ડેમેડજ ચેકડેમ હેઠળ જોડિયા તાલુકામાં રૂા.5.07 લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી સી.ડી.(ખોયલા નં.2), રૂા.6.57 લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી સી.ડી.(ભંડારિયા નં.3), રૂા.8.77 લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી સી.ડી.(ભંડારિયા નં.4), ધ્રોલ તાલુકામાં રૂા.12.81 લાખના ખર્ચે એફ.ડી.આર. ટુ લતીપુર સી.ડી.(ગાંડુ નાથાની વાડી પાસે) કામોને સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે.

- Advertisement -

ડીમાન્ડ નં.66, 2702 એમ.આઈ.(પ્લાન) 01 સરફેસ વોટર, 103 ડાયવર્ઝન સ્કીમ 13 માઈનોર ઈરીગેશન વર્કસ, 10-વેરીયસ ડીસ્ટ્રીકટ, 4-એમએનઆર-227, સ્પે. રીપેર ટુ ધી માઈનોર ઈરીગેશન વર્કસ ડેમેજડ બાય ફ્લડ હેઠળ જામનગરના એફ.ડી.આર ટુ ધુતારપર પી.ટી.(પીરવાળું તળાવ) રૂા.5.35 લાખ, ધ્રોલ તાલુકામાં એફ.ડી. આર. ટુ. મોટાવાગુદડ પી.ટી.(મોટી વાડી વાળું) રૂા.7.24 લાખ, જોડિયા તાલુકામાં એફ.ડી.આર. ટુ ખીરી પી.ટી. (રાજાશાહી વાળું) રૂા. 11.81 લાખ,તેમજ લાલપુર તાલુકામાં એફ.ડી.આર.ટુ. નવી પીપર પી.ટી. રૂ.9.59 એમ. મળી કુલ 33.39 લાખની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. તેમજ ડીમાન્ડ નં.66 2702-માઈનોર ઈરીગેશન પ્લાન, 01- સરફેસ વોટર 103 ડાયવર્ઝન સ્કીમ 13-આધાર માઈનોર ઈરીગેશન, વેરીયસ ડીવીઝન ફોર માઈનોર ઈરીગેશન વર્કસ હેઠળ ધ્રોલ તાલુકામાં રૂા.14.78 લાખના ખર્ચે રીપેર્સ ટુ ધ્રોલ પી.ટી.(ગાર્ડી કોલેજ), જોડિયા તાલુકામાં રૂા.3.50 લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી પી.ટી.(ખારીવાળું), અને રૂ.3.16 લાખના ખર્ચે રીનોવેશન ટુ ખીરી પી.ટી.(રામપરીયુ), અને જોડિયા તાલુકામાં રૂા.14.26 લાખના ખર્ચે રીપેર્સ ટુ. ખીરી પી.ટી.(હનુમાન ઢોળાવાળુ) મળી કુલ રૂા.47.10 લાખના ખર્ચે સૈધ્ધાંતિક મંજુરી મળી છે.

આમ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ વર્ક પ્લાન 2021-22 અંતર્ગત જામનગર જિલ્લાના નાની સિંચાઈના અંદાજિત કિંમત રૂા.170.899 લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular