Saturday, December 27, 2025
Homeસ્પોર્ટ્સમેચ ફિક્સિગં છેતરપિંડીનો ગુન્હો નથી : કર્ણાટક હાઇકોર્ટ

મેચ ફિક્સિગં છેતરપિંડીનો ગુન્હો નથી : કર્ણાટક હાઇકોર્ટ

હાઇકોર્ટે કહ્યું અંતર્ગત IPC ગુન્હો નોંધી શકાય નહીં, માત્ર BCCI જ તેમના નિયમો હેઠળ કાર્યવાહી કરી શકે

કોર્ટે કહ્યું કે માત્ર BCCI જ મેચ ફિક્સિંગ માટે તેમના પેટા-નિયમો હેઠળ અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરી શકે છે, પણ IPCની કલમ 420 હેઠળ એફઆઈઆર નોંધી શકાય નહીં. સિંગલ-જજ જસ્ટિસ શ્રીનિવાસ હરીશ કુમારે જણાવ્યું હતું કે, તે સાચું છે કે જો કોઈ ખેલાડી મેચ ફિક્સિંગમાં સંડોવાયેલો હોય, તો સામાન્ય લાગણી ઊભી થશે કે તેણે રમતના પ્રેમીઓ સાથે છેતરપિંડી કરી છે, પણ તે IPC હેઠળ ગુનો નથી ગણાતો. કોર્ટે કહ્યું કે મેચ ફિક્સિંગ ખેલાડીની અપ્રમાણિકતા, અનુશાસન હીનતા અને માનસિક ભ્રષ્ટાચારનો સંકેત આપી શકે છે. જો કે, માત્ર BCCI મેચ ફિક્સિંગ માટે તેમના પેટા-નિયમો હેઠળ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી શકે છે, અને IPCની કલમ 420 હેઠળ એફઆઈઆર નોંધી શકાતી નથી, તેમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

- Advertisement -

કર્ણાટક પ્રીમિયર લીગના અમુક ખેલાડીઓ દ્વારા કલમ 420 (છેતરપિંડી અને અપ્રમાણિક રીતે મિલકતની ડિલિવરી) અને IPC ની કલમ 120ઇ (ગુનાહિત કાવતરા ની સજા) હેઠળના ગુનાઓ માટે તેમની સામે દાખલ કરાયેલા ફોજદારી કેસોને રદ કરવાની માંગ કરતી અરજીઓના કેસ પર આ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular