Saturday, December 6, 2025
Homeરાજ્યપરિવારજનો દ્વારા કામ ધંધો કરવાનું કહેતા મનમાં લાગી આવતા આધેડનો ગળાફાંસો

પરિવારજનો દ્વારા કામ ધંધો કરવાનું કહેતા મનમાં લાગી આવતા આધેડનો ગળાફાંસો

ધ્રોલમાં જોડિયાનાકા સામે રહેતાં આધેડ કોઇ કામધંધો કરતા ન હોય જે બાબતે પરિવારના સભ્યોએ કામ ધંધો કરવાનું કહેતાં તેનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ધ્રોલના જોડિયા નાકા સામે રહેતાં દિનેશભાઇ હોરાભાઇ ચાવડા(ઉ.વ.47) એકલવાયું જીવન જીવતા હતાં અને કોઇ ધંધો કરતાં ન હતાં જે બાબતે પરિવારના સભ્યોએ કામધંધો કરવાનું કહેતાં તેનું મનમાં લાગી આવતાં શનીવારે સાંજના સમયે દિનેશભાઇએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે ધનજીભાઇ ગોરાભાઇ ચાવડા દ્વારા જાણ કરતાં હેકો.ડી.એ.રાઠોડ તથા સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular