જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતાં અને પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા શખ્સ સામે કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટરે મંજૂર કરતા એલસીબીની ટીમે શખ્સની ધરપકડ કરી નડિયાદની જેલમાં ધકેલીદ દેવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અસામાજિક તત્વો ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબીની ટીમે દિગ્વીજય પ્લોટ 54 માં વિશ્રામ વાડી પાછળ રહેતાં મહેશ ઉર્ફે મયો જેઠાલાલ મંગે નામના પ્રોહિબીશનમાં સંડોવાયેલા શખ્સ સામે પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત બી.એ. શાહ એ મંજૂર કરતાં પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફે મહેશની ધરપકડ કરી નડિયાદની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.


