Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઆજે 22માં તિર્થંકર ભગવાન શ્રી નેમનાથદાદાનો જન્મ કલ્યાણક - VIDEO

આજે 22માં તિર્થંકર ભગવાન શ્રી નેમનાથદાદાનો જન્મ કલ્યાણક – VIDEO

આજે 22માં તિથર્ંપતિ શ્રી નેમનાથદાદાનો જન્મ કલ્યાણક છે. ત્યારે આખા વિશ્ર્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. આવતીકાલે દિક્ષા કલ્યાણક છે. ઉપરાંત આજે પર્વાધિરાજ પર્વયૂષણનું મહિનાનું ધર પણ આજે છે. ત્યારે જામનગરમાં કાજીના ચકલા પાસે આવેલ મુળનાયક ભગવાન શ્રી નેમનાદાદાનું વર્ષો જુનું દેરાસર આવેલું છે. જ્યાં આજે સવારથી ધર્મની હેલી ચાલુ થઇ છે. સવારે સ્નાત્ર પૂજા ભણાવવામાં આવી હતી. ભગવાનની પૂજા કરવામાં ભાઇઓ-બહેનોએ લાઇનોમાં ઉભા રહેવું પડયું હતું. આજ સવારથી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. બપોરબાદ ભગવાનને આંગી કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રીના દેરાસરને રોશનીથી શણગારવામાં આવશે. રાત્રે 8:30 કલાકે દેરાસરના પટાંગણમાં જામનગરના સંગીતકાર વિક્રમભાઇ એન્ડ પાર્ટી ભાવના ભણાવશે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લેશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular