Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ...VIDEO

જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ…VIDEO

ભારતીય સંસ્કૃતિમાં વ્રતો અને ઉત્સવોનું ખુબ મહત્વ દર્શાવાય છે. ત્યારે આજે અષાઢ સુદ તેરસથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે. સૌભાગ્યની પ્રાપ્તિ માટે બહેનો આ વ્રત કરે છે. જમેાં પાંચ દિવસ મોળુ જમીને આ વ્રત કરવામાં આવે છે અને વ્રત દરમિયાન રોજે સવારે મહાદેવજીની પુજા કરી જવેરાની પુજા કરવામાં આવે છે. અષાઢ વદ બીજના રોજ આ વ્રતના છેલ્લાં દિવસે ભગવાનની પુજા કરી જવેરાને પાણીમાં પધરાવી સીધ્ધુ આપીને જાગરણ કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે. ત્યારે આજ સવારથી જ બહેનો ને ભગવાનની પુજા માટે મહાદેવજીના મંદિરમાં ભીડ જામી છે. યુવાન બહેનો સૌભાગ્યની પ્રાપ્તિ માટે ભગવાન શંકરના અને પાર્વતીજીની પુજા કરે છે. બહેનોમાં આ વ્રતને લઇને ખુબ જ શ્રધ્ધા, ભાવ અને ઉત્સાહ જોવા મળે છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular