Saturday, January 17, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાનો કર્મચારી એકાએક લાપતા

જામનગર મહાનગરપાલિકાનો કર્મચારી એકાએક લાપતા

જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં અને મહાનગરપાલિકામાં ફરજ બજાવતો કર્મચારી એકાએક લાપતા બની જતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર માટેલચોક શેરી નંબર-2 માં રહેતા અને મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિજયસિંહ કિરીટસિંહ ઝાલા (ઉ.વ.39) નામના યુવાન બે દિવસ પહેલાં તેના ઘરેથી નિકળ્યા બાદ પત્તો લાગ્યો ન હતો. ચિંતામાં પરિવારજનો દ્વારા યુવાનની અનેક સ્થળોએ શોધખોળ કરવા છતાં યુવાનનો પતો નહીં લાગતા આખરે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે લાપત્તા થયેલા કર્મચારીની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular