Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગર-બાંદ્રા ટર્મિનલ-જામનગર હમસફર ટ્રેન શરૂ થશે

જામનગર-બાંદ્રા ટર્મિનલ-જામનગર હમસફર ટ્રેન શરૂ થશે

તા. 24 જુલાઇથી પ્રારંભ થશે

- Advertisement -

કોરોનાના કેસો વધવાની સાથે રેલવે દ્વારા ટ્રેનો બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે કોરોના સંક્રમણ ઘટતાં ફરીથી ટ્રેનો શરુ થઇ રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા જામનગર-બાંદ્રા ટર્મિનલ હમસફર સુપર ફાસ્ટ ટ્રેન તા. 24 જુલાઇથી ફરી શરુ નિર્ણય કરાયો છે.

ટ્રેન નં. 09123 બાંદ્રા ટર્મીનલ જામનગર હમસફર દર સોમવાર, ગુરુવાર તથા શનિવારે મુંબઇથી રાત્રે 11:55 વાગ્યે ઉપડશે અને બપોરે 2:25 વાગ્યે જામનગર પહોંચશે. જ્યારે ટ્રેન નં. 09124 જામનગર-બાંદ્રા ટર્મીનલ ટ્રેન દર મંગળવાર, શુક્રવાર તથા રવિવારે જામનગરથી રાત્રે 8 વાગ્યે ઉપડશે અને સવારે 9:30 વાગ્યે બાંદ્રા ટર્મીનલ પહોંચશે. આ ટ્રેન સંપૂર્ણપણે રિઝર્વેશન ટ્રેન રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular