Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરવંડાના આદેશ્વર જિનાલયમાં માણિભદ્રવિર પ્રતિષ્ઠા મહોત્સવ

વંડાના આદેશ્વર જિનાલયમાં માણિભદ્રવિર પ્રતિષ્ઠા મહોત્સવ

જામનગર શહેરમાં રાયશી વર્ધમાન પેઢી હસ્તક આવેલ આદેશ્વર (વંડાના દેરાસરે) અંજન પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. માણિભદ્રજી વિરની પ્રતિષ્ઠા આવીતકાલ તા. 1 જૂનના રોજ પ.પૂ. આચાર્ય મનમોહનસુરિજી મ.સા., પ.પૂ. આચાર્ય હેમપ્રભસુરિજી મ.સા., પ.પૂ. આચાર્ય જયધર્મસુરિજી મ.સા. આદિ ગુરૂભગવંતોની નિશ્રામાં પૂ. ગુરૂભગવંતનું સામૈયુ સવારે 6:30 વિભાજી હાઇસ્કૂલ, કુમાર મંદિરથી શરૂ થઇ જિનકુશળ રેસિડેન્સી, નવાનગર હાઇસ્કૂલ સામે પૂર્ણ થશે. સવારે 10:30 કલાકે પ્રતિષ્ઠા પ્રસંગનો પ્રારંભ થશે તથા શુભ મુહુર્તમાં પ્રતિષ્ઠા થશે. પ્રતિષ્ઠામાં વિધિકાર કલ્પેશભાઇ શાહ (શિહોરવાળા) તથા સંગીતકાર વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી પધારશે. બપોરે 12:30 કલાકે સ્વામિ વાત્સલ્ય જમણના લાભાર્થી ઝવેરી જેચંદભાઇ નેમચંદભાઇ પરિવારે લીધો છે. આ પ્રસંગે જામનગર વિશા ઓશવાળ જૈન જ્ઞાતિના સંઘ રાયશી વર્ધમાન પેઢીના ટ્રસ્ટી ગણ દ્વારા સર્વે જ્ઞાતિજનોએ લાભ લેવા અજરામલ હરજીની વાડી, નવાનગર સ્કૂલ સામે, જામનગર ખાતે યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular