ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જામનગર, આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા, જામનગર ખાતે 7 અને 8 માર્ચ 2026ના રોજ આયુરસવાદોત્સવ 2026થી એક આયુર્વેદ આહાર-વાનગીને લગતો એક્સપો જામનગરની જનતા માટે ખુલ્લો મુકાયો છે.

તા. 7 માર્ચના સવારે 10 વાગ્યે ધન્વંતરિ મેદાન ખાતે ITRA સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામના કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનંત વિભૂષિત કૃષ્ણમણીજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે થયું હતું અન્ય મહાનુભાવોમાં ભારત સરકારના ચીફ કંટ્રોલર ઓફ એકાઉન્ટ, આરોગ્ય પરિવાર કલ્યાણના જસપાલ કૌર, ડો . જોગીન જોશી, ગુલાબકુંવરબા સોસાયટીના કીર્તિભાઈ ફોફરીયા, WHO GTMCના ટેકનિકલ ઑફિસર ડો. વિનયકુમાર ઉપસ્થિત રહ્યાં હતા.


