Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરજી.જી.હોસ્પિટલમાં માં અમૃતમ કાર્ડ કઢાવવા લોકોને ભારે હાલાકી

જી.જી.હોસ્પિટલમાં માં અમૃતમ કાર્ડ કઢાવવા લોકોને ભારે હાલાકી

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં માં અમૃતમ કાર્ડની કામગીરી થોડાસમય અગાઉ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે માં અમૃતમ કાર્ડ માટે જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં આ સેન્ટરો ફરીથી શરૂ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં માં અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ શરૂ થઇ ત્યારથી જ આ કામગીરી મંદગતિએ ચાલતી હોવાની વ્યાપક ફરીયાદો થઇ રહી હતી.

- Advertisement -

દરમિયાન આજે જી.જી.હોસ્પિટલના આ સેન્ટરના કર્મચારીઓ માસ્ક વગર કામ કરી રહ્યા હતા અને કર્મચારીઓના ખરાબ વર્તનથી સેન્ટર પર કાર્ડ કઢાવવા આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સેન્ટર પર એક દિવસમાં માત્ર 7 વ્યકિતઓને કાર્ડ કાઢી આપવામાં આવે છે. જેના કારણે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular