Sunday, January 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરના જીઇબી એન્જિનિયર એસોસિએશન દ્વારા સ્તુત્ય પગલું

જામનગરના જીઇબી એન્જિનિયર એસોસિએશન દ્વારા સ્તુત્ય પગલું

જામનગરના પીજીવીસીએલ કચેરીના જીઇબી એન્જિનિયર એસોસિએશન દ્વારા ગઈકાલે માનશિક વિકલાંગ બાળકોની શાળામાં ઉપસ્થિત રહી બાળકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પ્રદાન કરી હતી, સાથોસાથ તેઓ સાથે ભોજન પણ લીધું હતું.

- Advertisement -

જામનગર પીજીવીસીએલ ના જીઇબી એન્જિનિયર એસોસિયેશન દ્વારા ગઈકાલે અધિક્ષક ઇજનેર ,કે. આર. પરીખ, જી.ઇ.બી.એન્જીનીયર એસો.ના સર્કલ સેક્રેટરી એ.એમ.સોઢિયા તથા અન્ય ઇજનેરઓની ઉપસ્થિતિમાં માનસિક વિકલાંગ બાળકોની શાળા માનવ કલ્યાણ સંઘ જામનગર સંચાલિત સંવેદના સ્કૂલ લાખાબાવળ માં ઉપસ્થિત રહી તમામ બાળકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પ્રદાન કરવામાં આવી હતી. સાથોસાથ શાળાના બાળકો તેમજ અન્ય કર્મચારી ગણ સાથે ભોજન સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. અને સ્તુત્ય કાર્ય કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular