Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં અગ્નિસ્નાન કરનાર પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્યુ

જામનગરમાં અગ્નિસ્નાન કરનાર પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્યુ

બે વર્ષની પુત્રી સાથે માતા-પિતાના ઘરે આવી હતી : પુત્રી તોફાન કરતી હોવાથી પતિને ફોનમાં વાત કરતા પતિએ ઠપકો આપતા અગ્નિસ્નાન કર્યુ હતું

- Advertisement -

જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં પોતાના માતા-પિતાના ઘેર આંટો દેવા આવેલી પરિણીતાને તેના પતિએ ઠપકો આપતા તેનું મનમાં લાગી આવતા પરિણીતાએ અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં રહેતાં અને માધાપુરભુંગામાં પરણાવેલી શેરબાનુ હબીબભાઈ કુંગડા (ઉ.વ.35) નામની પરિણીતા પોતાના માતા-પિતાના ઘેર બે વર્ષની નાની પુત્રીને લઇ આંટો દેવા આવી હતી. જ્યાં તેની પુત્રી તોફાન કજીયા કરીને રડયા કરતી હોય. ઘરકામ કરવા દેતી ન હોવાથી શેરબાનુએ તેના પતિને મોબાઇલ ફોન થી વાત કરી હતી. આ દરમિયાન પતિએ ફોનમાં ઠપકો આપી ફોન કાપી નાખ્યો હતો. જેનું તેણીને મનમાં લાગી આવતા ગત તા. 17/11/2023 ના રોજ કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લીધું હતું. જેથી તેણીને સૌ પ્રથમ જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાં સારવાર ચાલી રહી હતી આ દરમિયાન તા.3 ફેબ્રુઆરીના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હબીબભાઈ કુંગડા દ્વારા પોલીસને જાણ કરાતા સમગ્ર મામલે સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular