Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરહેવાનિયત...લગ્નમાં આડખીલીરૂપ બાળકીની હત્યાના પ્રયાસથી અરેરાટી

હેવાનિયત…લગ્નમાં આડખીલીરૂપ બાળકીની હત્યાના પ્રયાસથી અરેરાટી

પ્રેમિકાની પુત્રી ઉપર પ્રેમી દ્વારા વેલણ વડે જીવલેણ હુમલો : પેટમાં બટકુ ભરી હત્યાનો પ્રયાસ : પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાને પ્રેમીએ લગ્ન કરવામાં આડખીલીરૂપ બનેલી પ્રેમિકાની પાંચ વર્ષની બાળકીને પેટમાં બચકુ ભરી વેલણ વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે બાળકીને માતાની ફરિયાદના આધારે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

ફીટકારજનક બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં શંકરના મંદિર પાસે વિરેન જાનકીદાસ રામાવત નામના બાવાજી શખ્સને ઢીચડા રોડ પર આવેલા તિરૂપતિ પાર્કમાં રહેતી સર્વરીબેન પાનસુરીયા નામની પરિણીતા યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને પ્રેમસંબંધમાં યુવતીને પ્રેમીએ ‘હું તારી સાથે લગ્ન કરીશ પરંતુ તારી દિકરીને સાથે નહીં રાખું’ તેમ જણાવ્યું હતું. જેના કારણે વિરેન અને સર્વરીબેનના પ્રેમ સંબંધમાં લગ્ન કરવા માટે આડખીલીરૂપ બનતી પાંચ વર્ષની બાળકીને બુધવારે સાંજના સમયે પ્રેમિકાના ઘરે જઈ પતાવી દેવાના ઈરાદે પેટમાં બટકુ ભરી વેલણ વડે પગમાં, હાથમાં અને મોઢામાં તથા માથામાં જીવલેણ હુમલો કરતા બાળકી લોહી લુહાણ હાલતમાં ઘવાઈ હતી. ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે સર્વરીબેન પાનસુરીયા નામની યુવતી દ્વારા જાણ કરાતા પીઆઈ એ.આર. ચૌધરી તથા સ્ટાફે યુવતીના પ્રેમી વિરન રામાવત વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular