Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વૃદ્ધની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરમાં વૃદ્ધની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરના ખોડિયાર કોલોની પાસે આવેલી નિલકમલ સોસાયટીમાં રહેતા વૃધ્ધે આજે સવારે તેના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની પાસેની નિલકમલ સોસાયટી શેરી નં.1 માં રહેતાં કનકસિંહ નટુભા જાડેજા (ઉ.વ.60) નામના વૃદ્ધે આજે સવારે તેના ઘરે રૂમના હુંકમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે જાણ થતા 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં વૃધ્ધનું મોત નિપજ્યું હોવાની જાણના આધારે પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular