ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે ગઇકાલે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પણ સ્વચ્છતા હી સેવા ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દ્વારકા જગત મંદિર ખાતે સ્વચ્છતા માટે શ્રમદાન અર્પણ કરી પૂ. બાપુને સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી. દ્વારકા જગત મંદિર ખાતે સફાઇ કર્મચારીઓ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ સાથે મળી સાંસદ પૂનમબેન માડમ સ્વચ્છતા માટે શ્રમદાન અર્પણ કરી સફાઇ અભિયાનમાં જોડાયા હતાં.