બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્રશાસ્ત્રી વનતારાના મહેમાન બન્યા હતાં. તેઓનું ગઇકાલે રાત્રીના સમયે જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યારબાદ તેઓ રિલાયન્સ વનતારા જવા રવાના થયા હતાં. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વનતારાની મુલાકાત લીધી હતી. તેમજ રવિવારે શ્રીશ્રી રવિશંકર પણ વનતારાની મુલાકાતે આવ્યા હતાં.
View this post on Instagram
