Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતવસીમ રિજવીની કિતાબના વિરોધમાં અમદાવાદમાં ધરણાં

વસીમ રિજવીની કિતાબના વિરોધમાં અમદાવાદમાં ધરણાં

વસીમ રિજવીની કિતાબ નો વિરોધ કરી કિતાબ ઉપર પર્તિબંધ મૂકવા અને તેની ઘરપકડ કરવાની માંગ સાથે અમદાવાદમાં ધરણા યોજાયા હતા. કાઝી એ ગુજરાત અલ્હાજ સયેદ સલીમ બાપુ જામનગરની આગેવાની માં અમદાવાદ મુકામે મુસ્તુફા રઝા એકેડમી સંસ્થા ના આગેવાનો, અમદાવાદ ના સુન્ની મુસ્લિમ સમાજ ના આગેવાનો, ધાર્મીક આગેવાનો,અને મુસ્લિમ સમાજ ના કોર્પોરેટરો સાથે ગોમતીપુર પોલીસ શટેશન ખાતે આવેદન આપી વસીમ રિજવીની કિતાબ નો વિરોધ કરી કિતાબ ઉપર પર્તિબંધ મૂકવા અને તેની ઘરપકડ કરવાની માંગ સાથે ધરણાં યોજાયા હતા.

- Advertisement -

આ ધરણાં માં રઝા એકેડમી ના પ્રમુખ સયદખાન, કોર્પોરેટર ઈકબાલ ભાઈ શેખ, કોર્પોરેટર ઝુલ્ફીકાર ખાન, અયાઝખાન , જમાતે રઝા એ મુસ્તફા ના આગેવાનો મુફતી સહાબુદ્દીન કાદરી, મોલાના અબ્દુલ ગફુર, મોલાના રફિકુલમુરસલીન, સમિરખાન, અહમદ ખાન, મોલાના અમીન બરકાતી, મોલાના અયુબ રઝા, મોલાના મુસ્લિમ રઝા,શકિર રઝવી, અહેમદ હુસેન રઝવી, મોઈન રઝવી, સહીત નાં હોદેદારો અને કાર્યકરો જોડાયા હતા. જેમાં પોલીસે કાઝી ઍ ગુજરાતસૈયદ સલીમ બાપુ, કોર્પોરેટર ઇકબાલ સેખ સહિત ૫ આગેવાનો ની ધરપકડ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular