Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ગુરૂદ્વારા નજીક ઈમારતના જર્જરિત ભાગનું ડિમોલીશન

જામનગરમાં ગુરૂદ્વારા નજીક ઈમારતના જર્જરિત ભાગનું ડિમોલીશન

જામનગર મહાનગરપાલિકાની એસ્ટટ શાખા દ્વારા કાર્યવાહી

જામનગરના ગુરૂદ્વારા ચોકડી નજીક આવેલ જર્જરિત ઈમારતનું ડિમોલીશન આજે સવારે હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી જ જામ્યુકોની એસ્ટેટ શાખાની ટીમ પહોંચીજઇ ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગરમાં જર્જરિત ઈમારતોનો સર્વે કરી જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરીત ઈમારતોને કારણે કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે નોસિટો આપવામાં આવે છે અને આ અંગે ડિમોલીશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે જામનગર શહેરના ગુરૂદ્વારા સર્કલ નજીક એક જર્જરિત ઈમારત આવેલ હોય જેને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઈમારતને કારણે કોઇ અકસ્મત કે દુર્ઘટના ન સર્જાય તે માટે આજે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ સવારથી જ ગુરૂદ્વારા ચોકડી નજીક આવેલ આ જર્જરિત ઈમારત ખાતે પહોંચી ગઈ હતી અને ગુરૂદ્વારા ચોકડી નજીક વાહન વ્યવહાર બંધ કરી આ જર્જરિત ઈમારતને તોડી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખાના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સવારથી જ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ શાખાના અનવર ગજણ સહિતના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા પીજીવીસીએલ સહિતની ટીમોને સાથે રાખી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular