Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરરામનવમીના હિંમતનગર અને ખંભાતમાં થયેલ હુમલા અંગે પગલા લેવા માગ

રામનવમીના હિંમતનગર અને ખંભાતમાં થયેલ હુમલા અંગે પગલા લેવા માગ

ગત તા. 10 એપ્રિલના રોજ શ્રીરામચંદ્રજી પ્રાગટય મહોત્સવના રોજ હિંમતનગર અને ખંભાત જિલ્લામાં રામભક્તો ઉપર હુમલો થયો હતો. જેમાં રાણા સમાજના કનૈયાલાલ રતિલાલ રાણાનું મૃત્યુ થયું હતું. તેમજ અનેક લોકોને ઇજા થઇ હતી. આ ઘટનાને જામનગર રાણા સમાજ દ્વારા વખોડી કાઢી અસામાજિક તોફાની તત્વો વિરુધ્ધ કડક પગલા લેવા અને હુમલામાં ભોગ બનનારને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવાની માગ સાથે સમસ્ત રાણા સમાજ-જામનગર દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે સમસ્ત રાણા સમાજ જામનગરના પ્રમુખ રમેશભાઇ નડિયાપરા સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular