Saturday, December 6, 2025
Homeરાજ્યકરાણામાં બેશુધ્ધ થઈ જતા યુવાનનું મોત

કરાણામાં બેશુધ્ધ થઈ જતા યુવાનનું મોત

લાલપુર તાલુકાના કરાણા ગામમાં રહેતા યુવાન બીમારી સબબ તેના ઘરે બેશુદ્ધ થઈ જતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના કરાણા ગામમાં રહેતા રોહિત રામજીભાઈ રાઠોડ નામના યુવાનને 10 માસ પૂર્વે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કરાવ્યા બાદ પણ અવાર-નવાર બીમાર રહેતો હતો.

દરમિયાન શનિવારે સવારના સમયે યુવાન તેના ઘરે બેશુદ્ધ થઈ જતા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular