Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ

જિલ્લા શિક્ષણાધિકારી તથા ઝોનલ અધિકારી દ્વારા પરીક્ષાર્થીઓને આવકારી શુભેચ્છઓ પાઠવાઈ

આજથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં જામનગર જિલ્લામાંથી 1,695 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સહભાગી થવા જઈ રહ્યા છે ત્યારે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી એમ.કે.ભટ્ટ તથા ઝોનલ અધિકારી સી.એમ.મહેતાએ શહેરની દયાનંદ ક્ધયા વિદ્યાલય ખાતે આ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા અને તેમના ઉજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં કુલ છ કેન્દ્રો ખાતે વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જામનગર ખાતે ચાર તથા ધ્રોલ ખાતે બે કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. તા.20 ફેબ્રુઆરી થી તા.02 માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષામાં 1,695 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular