Friday, January 16, 2026
Homeરાજ્યજામનગર8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ જામનગર દ્વારા દરિયા કિનારાનું સફાઇ અભિયાન

8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ જામનગર દ્વારા દરિયા કિનારાનું સફાઇ અભિયાન

જામનગર મ્યુનિ. કમિશ્નર ની પ્રેરક ઉપસ્થિતિ

એનસીસી હેડકવાર્ટર, નવી દિલ્હી દ્વારા પુનિત સાગર અભિયાન અંતર્ગત ભારતભરમાં વિવિધ સ્થળોએ દરિયાકિનારાનું સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.19નાં રોજ જામનગરમાં રોઝી પોર્ટ વિસ્તારમાં 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં વિવિધ શાળાનાં કેડે્ટસ દ્વારા સફાઇ અભિયાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય નાગરિકોમાં દરિયાકિનારાની સ્વચ્છતા તેમજ સીંગલ યુઝ પ્લાસ્ટિકની જીવનશૈલીનાં પ્રચાર અને સમજણોનો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી(આઇએએસ) દ્વારા આ કાર્યક્રમની ફલેગ ઓફ સેરેમની યોજવામાં આવી હતી અને કેડેટ્સને આ સુંદર કાર્ય માટે પ્રેરિત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમ 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં કમાંડીંગ ઓફિસર લેફટન્ટ કમાંડર ઇશાન ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતોે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular