Wednesday, December 10, 2025
Homeરાજ્યજામનગરહોમગાર્ડની નિવૃતિ વયમર્યાદામાં વધારો થતાં જામનગરમાં ઉજવણી - VIDEO

હોમગાર્ડની નિવૃતિ વયમર્યાદામાં વધારો થતાં જામનગરમાં ઉજવણી – VIDEO

હોમગાર્ડ સભ્યની નિવૃતિ વયમર્યાદામાં વધારો કરવામાં આવતા જામનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા 50 હજારથી વધુ હોમગાર્ડ સભ્યો માટેની નિવૃતિ વયમર્યાદા 3 વર્ષ વધારીને 58 વર્ષનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇ હોમગાર્ડ જવાનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

- Advertisement -

રાજ્ય સરકારના આ નિર્ણયને જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ આવકાર્યો હતો. તેમજ સરકારના આ નિર્ણયને આવકરી જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા સહિતના અધિકારીઓ તથા હોમગાર્ડઝ જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular