Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ગણેશવાસમાં રહેણાંક મકાનમાંથી રોકડની ચોરી

જામનગરના ગણેશવાસમાં રહેણાંક મકાનમાંથી રોકડની ચોરી

જામનગર શહેરના ન્યુ. પટેલ કોલોની ગણેશવાસ વિસ્તારમાં રહેતાં પ્રૌઢના મકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ કબાટની તિજોરીમાંથી રૂા.11,400ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ન્યુ. પટેલ કોલોની પાસે આવેલા ગણેશવાસ વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતાં મહેબુબ શાહ ગુલાબ શાહ ફકિર નામના પ્રૌઢના મકાનમાં ગત 5 તારીખની મધ્યરાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ ઘરમાં ઘુસીને કબાટની તિજોરી કોઇ ચિજ વસ્તુઓથી ખોલી તેમાંથી રૂા.11,400ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કરતાં હેકો. પી.ટી.જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular