Friday, December 5, 2025
Homeરાજ્યસલાયાના 11 ખલાસીઓ સાથેનું માલવાહક જહાજ ઓખા કોસ્ટગાર્ડ દ્વારા કબ્જે

સલાયાના 11 ખલાસીઓ સાથેનું માલવાહક જહાજ ઓખા કોસ્ટગાર્ડ દ્વારા કબ્જે

ઓમાનના દરિયામાં ડૂબેલ સલાયાના વહાણના ૧૩ ખલાસીઓ પણ જહાજમાં: સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ

સલાયાના માલવાહક જહાજ અને તેના 11 ખલાસીઓ ભારતીય તટરક્ષક દળ દ્વારા ઓખા લઇ જઈ સુરક્ષા એજ્ન્સીઓ દ્વારા પૂછપરછ કરતા ચકચાર જાગી હતી. સલાયાના ફેઝ-એ-નુર સુલેમાની નામના જહાજને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા જહાજમાં સવાર 11 ખલાસીઓ સાથે ઓખા લઇ જવાયા હતા. તાજેતરમાં ઓમાનના દરિયામાં ડૂબેલા સલાયાના જ અન્ય એક વહાણના ૧૩ ખલાસીઓ પણ આ જ માલવાહક જહાજમાં હોય તમામની પ્રાથમિક પુછપરછ હાથ ધરાઈ હતી. ઓખા બંદર ખાતે ભારતીય કોસ્ટગાર્ડ સાથે નવી, ઈન્ટેલીજન્સ બ્યુરો, દેવભૂમિ દ્વારકા જીલ્લા એસ.ઓ.જી અને okha સ્થાનીય પોલીસ સહીત ની સુરક્ષા એજ્ન્સીઓ આ પૂછપરછમાં જોડાયા હતા. પૂછપરછ ક્યાં મુદ્દે ચાલી રહી છે તેની વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરાઈ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular