Thursday, October 24, 2024
Homeરાષ્ટ્રીયસરહદીય બેદરકારી અને પોલીસની ભ્રષ્ટતા પઠાણકોટ એરબેઝ પરના હુમલા પાછળ જવાબદાર !

સરહદીય બેદરકારી અને પોલીસની ભ્રષ્ટતા પઠાણકોટ એરબેઝ પરના હુમલા પાછળ જવાબદાર !

બે પત્રકારોએ લખેલાં પુસ્તકમાં સનસનાટી સર્જતુું લખાણ

- Advertisement -

એક નવા પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે પઠાણકોટ એરબેઝ પર 2016 ના આતંકી હુમલા પહેલા કેટલાક ભ્રષ્ટ સ્થાનિક પોલીસ અધિકારીઓએ IAF એરબેઝની મુલાકાત લીધી હતી. તેમાંથી એકએ અહીં કોઈ સર્વેલન્સ સ્પોટને ઓળખી કાઢયો હતો, જેનો ઉપયોગ આતંકવાદીઓ દારૂગોળો, ગ્રેનેડ, મોર્ટાર અને એકે 47 રાઈફલ લઈ જવા માટે કરતા હતા. આ દાવો પુસ્તક સ્પાય સ્ટોરીઝ: ઇનસાઇડ ધ સિક્રેટ વર્લ્ડ ઓફ ધ રો એન્ડ ધ આઇએસઆઇ, માં કરવામાં આવ્યો છે. આ પુસ્તક એડ્રિયન લેવી અને કેથી સ્કોટ-ક્લાર્ક નામના બે પત્રકારોએ લખ્યું છે.

લેખકોએ પુસ્તકમાં જણાવ્યું હતું કે, ભારતીય સુરક્ષા દળોને એ સુનિશ્ચિત કરવામાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં આવી છે. આ માટે ભારતે પાકિસ્તાન પર દબાણ લાવવા યુદ્ધની ધમકી આપી હતી. લેખકોએ પુસ્તકમાં લખ્યું, પરંતુ સંયુક્ત ગુપ્તચર દ્વારા બહાર પાડવામાં આવેલ આંતરિક અહેવાલ ગંભીર અને પીડાદાયક તેમજ પ્રમાણિક હતા. તેણે સ્વીકાર્યું કે વારંવાર ચેતવણી આપવા છતાં સુરક્ષાના કેટલાક મહત્વના ભાગો ખૂટે છે. પંજાબની 91 કિલોમીટરથી વધુની સરહદ પર વાડ નહોતી.

પુસ્તક કહે છે, ઓછામાં ઓછા ચાર અહેવાલો સૂચવે છે કે નદીઓ (અને સૂકી ખાડીઓ) અસુરક્ષિત જગ્યાઓ છે, પરંતુ તેમની આસપાસ કોઈ જાળીઓ ગોઠવવામાં આવી નથી. છ લેખિત વિનંતીઓ છતાં કોઈ વધારાની પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સર્વેલન્સ ટેકનોલોજી અને ટ્રેકર પણ તૈનાત કરવામાં આવ્યા ન હતા. લેખકોએ બીએસએફના એક અધિકારીને ટાંકીને કહ્યું કે જમીન પર દળની સ્થિતિ નબળી હતી કારણ કે તેનું ધ્યાન કાશ્મીરમાં પ્રવૃત્તિઓ પર હતું અને વિનંતીઓ પછી પણ વધુ સૈનિકોની માંગણીઓ પૂરી કરવામાં આવી ન હતી.

પઠાણકોટ હુમલા અંગે પુસ્તક કહે છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે 350 કિલો વિસ્ફોટકો માટે ચૂકવણી કરી હતી, અને આ વિસ્ફોટકો ભારતમાં ખરીદવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે, એરબેઝનો સ્ટોક લેતા ભ્રષ્ટ સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિત આતંકવાદીઓના ભારતીય સહયોગીઓની આશંકા હતી. તેમાંથી એકને એવી જગ્યા મળી ગઈ હતી જ્યાં ફ્લડલાઈટ લાઈટ ન પહોંચી શકે અને આ જગ્યા સીસીટીવી કેમેરાની પહોંચની બહાર પણ હતી. દિવાલની નજીક એક મોટા ઝાડ પાસે આ સ્થળે કોઈ સર્વેલન્સ સાધનો નહોતા.

આ કેસની તપાસ કરી રહેલા ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીએ લેખકોને જણાવ્યું હતું કે એક ભ્રષ્ટ પોલીસ અધિકારી અથવા તેનો એક સહયોગી ઉપર ચઢી ગયો હતો અને દોરડું બાંધ્યું હતું. આતંકવાદીઓએ તેનો ઉપયોગ 50 કિલો દારૂગોળો, 30 કિલો ગ્રેનેડ, મોર્ટાર અને એકે -47 રાઇફલ પહોંચાડવા માટે કર્યો હતો. આ પછી, દારૂગોળો અને હથિયારોથી સજ્જ આતંકવાદીઓ વાયુસેનાના એરબેઝમાં ઘૂસ્યા અને હુમલો કર્યો. આ દરમિયાન છ જવાન અને એક અધિકારી શહીદ થયા હતા. તે જ સમયે, ભારતીય સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular