Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભાજપાના સાંસદના ઘર પર બોમ્બથી હુમલો

ભાજપાના સાંસદના ઘર પર બોમ્બથી હુમલો

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરો પર હુમલાની ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે, હવે રાજ્યમાં ભાજપના સાંસદના ઘર પર પણ હુમલો થયો છે. ઉત્તર 24 પરગણામાં ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરમાં બોમ્બ ધડાકા થયા હતા. ત્યાં હુમલો થયો છે. બેરેકપોરના ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરે 3 બોમ્બ ફેંકાયા હોવાના અહેવાલો છે.

સાંસદ અર્જુન સિંહના ઘર પર હુમલો સવારે 6.30 વાગ્યાની આસપાસ થયો હતો. ભાજપના સાંસદના ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, તેથી આ કેમેરા હુમલાખોરોની તસવીરો કેપ્ચર કરે તેવી ધારણા છે. હાલમાં, પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસમાં વ્યસ્ત છે.

રાજ્યપાલ જગદીપ ધનખડે ભાજપના સાંસદના નિવાસસ્થાન પર થયેલા આ બોમ્બ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજ્યપાલે કહ્યું છે કે સાંસદની સુરક્ષાનો મુદ્દો અગાઉ પણ ઉઠાવવામાં આવ્યો હતો, તેથી આ હુમલો ખૂબ જ ચિંતાજનક છે. પશ્ચિમ બંગાળમાં હિંસા ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આજે સવારે સાંસદ અર્જુન સિંહના નિવાસસ્થાનની બહાર બોમ્બ વિસ્ફોટ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે ચિંતાજનક છે.

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ અર્જુન સિંહના ઘર પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં સરકાર ચાલી રહી છે કે ગુંડાઓ અને અરાજકતા ચાલી રહી છે તે સમજાતું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular