Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરના માનસિક બિમાર પ્રૌઢે વિકટોરીયા પુલ પરથી પડતુ મૂકયુ

જામનગર શહેરના માનસિક બિમાર પ્રૌઢે વિકટોરીયા પુલ પરથી પડતુ મૂકયુ

15 વર્ષથી માનસિક બિમાર પ્રૌઢનો આપઘાતનો પ્રયાસ : ગંભીર હાલતમાં જી. જી. હોસ્પિટલ ખસેડાયો : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના ગાજરફળી વિસ્તારમાં રહેતાં સોની પ્રૌઢ બાલા હનુમાને દર્શન કરી પરત ફરતા હતાં તે દરમિયાન વિકટોરીયા પુલ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગાજરફળી રામકુવા સામે આવેલા શરણમ્ એપાર્ટમેન્ટમાં રહેતાં અનિલભાઈ શાંતિલાલ ભુવા નામના સોની કામ કરતાં પ્રૌઢને છેલ્લાં 15 વર્ષથી માનસિક બીમારી થઈ હતી. દરમિયાન છેલ્લાં 10 દિવસથી સતત ચિંતામાં રહેતાં પ્રૌઢ ગત તા.12 ના રોજ સવારના સમયે તેના ઘરેથી બાલા હનુમાન મંદિરે દર્શન કરવા માટે ગયા હતાં અને ત્યાંથી દર્શન કરી પરત ફરતા હતા ત્યારે વિકટોરીયા પુલ પરથી નીચે ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પ્રૌઢને ગંભીર હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ગૌરવભાઈ દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular