દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં છેલ્લાં થોડાક સમયથી બાળકો તથા યુવાનોના હૃદયરોગના હુમલાથી મોત નિપજવાની ઘટનાઓ દિવસને દિવસે વધી રહી છે. ત્યારે ભાણવડ તાલુકાના ઝારેરા ગામના યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.
ગુજરાત રાજ્યમાં છેલ્લાં થોડા સમયથી નાના બાળકોથી લઇ યુવાનોને હૃદયરોગના હુમલા આવવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આ ઘટનામાં બાળકોથી લઇ યુવાનોના મોત નિપજતા તબીબો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે હાલારમાં પણ બાળકોથી લઇ યુવાનોના હાર્ટએટેકનો ભોગ બનતા જાય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ એક યુવાનનો હૃદયરોગના હુમલામાં ભોગ લેવાયો છે. જેમાં ભાણવડ તાલુકાના ઝરેરા ગામમાં રહેતાં સંજયભાઇ પિપરોતર (ઉ.વ.49) નામના યુવાનને હાર્ટએટેક આવતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબોએ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.