Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ચાલુ કારે બેશુદ્ધ થઈ જતાં પ્રૌઢનું મોત

જામનગરમાં ચાલુ કારે બેશુદ્ધ થઈ જતાં પ્રૌઢનું મોત

જામનગર શહેરના જલારામનગરમાં રહેતાં પ્રૌઢ તેની કારમાં વાડીનાર જતાં હતાં ત્યારે પટેલ કોલોની વિસ્તારમાં પહોંચતા ચાલુ કારમાં જ હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરના ડીસીસી હાઈસ્કૂલ પાસે આવેલા જલારામનગરમાં રહેતાં ઓસમાણભાઈ ગુલમામદભાઈ બ્લોચ (ઉ.વ.50) નામના પ્રૌઢ ઈનોવા કારમાં જામનગરથી વાડીનાર તરફ ઈનોવા કાર લઇને જતાં હતાં ત્યારે ગત મંગળવારે બપોરના સમયે પટેલ કોલોની શેરી નં.9 પાસે પહોંચ્યા ત્યારે ચાલુ કારમાં જ પ્રૌઢને ચકકર આવતા બેશુધ્ધ થઈ જવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો પી.કે. આંબલિયા તથા સ્ટાફે મૃતકના પુત્ર જાવિદના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular